Manavgita In Gujarati


Manavgita In Gujarati

Rs 600.00


Product Code: 18554
Author: Ashok Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 278
Binding: soft
ISBN: 9789390572472

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Manavgita In Gujarati By Ashok Sharma | માનવગીતા લેખક અશોક શર્મા | Gujarati book about real explanation of Bhagvad Gita

ભગવદ્‌ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.
ભગવદ્‌ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્‌ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મૉડર્ન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્‌ગીતામાં ન હોય!

ભારતીયદર્શન જીવનલક્ષી છે. ઉપનિષદોના શાશ્વત તત્ત્વજ્ઞાનના સારરૂપ શ્રીમદ્ભગવદ્ગીતા ભારતીય અધ્યાત્મ-મંદિરનો કીર્તિધ્વજ છે. તેને “સત્યમ્-શિવમ્-સુંદરમ્’ ત્રિગુણ છલોછલ ભરેલ અમૃતકળશ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. એ રીતે ગીતા માનવજીવનને સ્વસ્થ, સુખી અને સાર્થક કરવાની હાથવગી જડીબુટ્ટી છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. જોકે સરતા સમય સાથે માણસની જીવનદૃષ્ટિ બદલાય. સામાજિક ધોરણો અને સભ્યતાના આયામો પણ પરિવર્તન પામે. વૈયક્તિક સફળતા અને પારમાર્થિક સાર્થકતા જેવા બે ધ્રુવો વચાળે સંસારસાગરમાં તરવાની મથામણ કરતા માનવ માટે ગીતાદર્શન દીવાદાંડી સમું સાબિત થશે તે નિ:શંક છે.                      


There have been no reviews