Sambandh Snehno


Sambandh Snehno

Rs 400.00


Product Code: 18866
Author: Ravi Ela Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 174
Binding: Soft
ISBN: 9789394502758

Quantity

we ship worldwide including United States

Sambandh Snehno by Ravi Ela Bhatt | Gujarati Articles and inspiration book by Ravi Ila bhatt.

સંબંધ સ્નેહનો - લેખક : રવિ ઇલા ભટ્ટ 

સ્વભાવ અને અભાવને સહર્ષ સ્વીકારતી સંવેદના.

               સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે એડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે, એક છેડેથી હું” અને બીજા છેડેથી તું' સમાંતર રીતે ઇચ્છાની ઈંટો ગોવીને ચાહનાનું ચણતર કરતાં કરતાં આગળ વધીએ તો, બરાબર વચ્ચે આવીએ ત્યારે સ્નેહનો સેતુ જોડાઈ જાય.
                     ભગવાન શ્રીકૃષ્ણને ગોકુળ અને વૃંદાવનવાસીઓ માટે જે હતો. તે સ્નેહ હતો. સુદામા અને દ્રૌપદી માટે જે હતો તે નેહ હતો. સ્નેહ તો વહેતા. ઝરણા જેવો છે. તે સતત વહેતો રહે છે. તેને બાંધવા જાઓ તો તે ગંધાઈ જાય છે. નેહ વહેતો રહે અને વ્યક્ત થતો રહે તો જ તે આનંદ આપે છે. સ્નેહમાં સમર્પણ હોય, સુખ હોય, સાથ હોય, સાહચર્ય હોય, સાયુજ્ય હોય, સંયોજન હોય અને સમાધાન પણ હોય. આ બધું જ જયારે કોઈ માણસ કરતો હોય ત્યારે સમજવું કે તેના માટે વ્યક્તિ કરતાં સંબંધ મહત્ત્વનો છે. આ સંબંધ સ્નેહનો હોઈ શકે.ખાટા, મીઠ, તીખા, તૂરા, કડવા છતાં જીવનના દરેક રસને અભિવ્યક્ત કરતાં અને અનુભવાતા સંબંધોની લાગણી સમજવા આવો વાંચીએ 'સંબંધ સ્નેહનો.


There have been no reviews