Chinta Nahi Pan Chintan


Chinta Nahi Pan Chintan

Rs 400.00


Product Code: 18975
Author: Haribhai Kothari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 158
Binding: Soft Cover
ISBN: 9789392613975

Quantity

we ship worldwide including United States

Chinta Nahi Pan Chintan by Haribhai kothari | Gujarati Articles book. | Buy books of Haribhai Kothari Online.

ચિંતા નહિ પણ ચિંતન - લેખક : હરિભાઈ કોઠારી 

ભણતર અને ગણતર નો સમન્વય સાધી જીવન ને મહેકાવતા સુભાષિતો.

                    ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, હુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે પ્રયાસ નહીં. કોઈ દંભ નહીં કે જ્ઞાનનું પ્રદર્શન નહીં. પોતે જે રીતે જીવનને જોયું છે, જાણ્યું છે, માયું છે, પ્રમાયું છે એની જ વાત. દેશ અને પરદેશમાં એ ઘૂમતા રહ્યા છે. અનેક માણસોને મળે છે. માણસોને વાંચે છે. પુસ્તકોને વાંચે છે અને પોતાને પણ વાંચવાનું ચુકતા નથી.
                    સંસ્કૃત સાહિત્યનો એમનો પૂરતો અભ્યાસ છે. એ અભ્યાસની આભા અવારનવાર વતથિ છે, એમના શબ્દોમાં આવ્યા છે પણ છેતરામણો આભાસ નથી. શ્લોકને આધારે અહીં શબ્દલોક પ્રગટ થાય છે. અહીં મુંબઈના ગુજરાતી મિડ-ડે'માં છપાયેલા એમના લઘુનિબંધોનો સંચય છે. એમની પ્રતીતિ છે કે ચિંતા કરવાનું કારણ હોય તોપણ માણસે ચિંતાથી હેરાઈ જવું ન જોઈએ. સભાનપણે માણસ ચિંતા કરતો નથી, પણ આપમેળે ચિંતા થતી હોય છે, કોઈક સર્જકે વીસમી સદીના સમગ્ર યુગને “એજ ઑફ ઍકઝાઈટી' કહ્યો છે.
                        આજનો માણસ ચિંતાથી પીડાય છે. પલાંઠી વાળીને બેસી શકતો નથી. તણાવથી ઘેરાઈ ગયો છે. રૂપિયો રળવામાં જ પરચૂરણ થઈને વેરાઈ રહ્યો છે. વાત માત્ર આટલી જ છે કે જે ક્ષણે ચિંતા કરીએ એ જ ક્ષણે જ પ્રાર્થના કરીએ તો ? કોઈકે કહ્યું છે કે પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલાતી નથી, પણ અભિગમ બદલાય છે. અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિને બદલી શકે છે. હરિભાઈએ તો સીધું જ કહયું કે ચિંતા ન કરો, ચિંતન કરો. ધ્યાન ધરો ને મનન કરો. જીવન જીવવાની આ રીત છે. ચિંતા તો પિતાના અગ્નિ જેવી છે. એ તમને બાળીને ભસ્મીભૂત કરી દેશે. જો ચિંતન કરશો તો એ તમને શાતા આપશે અને તમારી દાઝી ગયેલી ઇચ્છાઓ પર ચંદનલેપ કરશે. હરિભાઈનો શબ્દ પ્રેરક છે અને માર્ગદર્શક છે. થાકેલાને વિસામો આવેએવો છે. હરિભાઈના જે અસંખ્ય ચાહકો છે એમને માટે આ પુસ્તક મહામૂલી મિરાત જેવું છે.


There have been no reviews