Vijay No Aerobridge


Vijay No Aerobridge

Rs 500.00


Product Code: 19137
Author: Doctor Chandrakant Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Vijay No Aerobridge by Dr. Chandrakant Mehta | Gujarati inspirational book informed by experience.

વિજય નો એરોબ્રિજ - લેખક : ડો. ચંદ્રકાંત મેહતા 

હવાઈયાત્રા શરૂ કરી દો.

                એરપોર્ટ પર વિમાનમાં બેસવા માટે કાં તો સીડીની જરૂર પડે કાં તો એરોબ્રિજની જરૂર પડે. સીડી અને એરોબ્રિજ હવામાં ઊંચે લઈ જતાં નથી, પરંતુ વિમાન સુધી લઈ જાય છે. વિમાન દ્વારા આપણે હવાઈયાત્રા કરી શકીએ છીએ. ડૉ. ચંદ્રકાંત મહેતાએ આ પુસ્તકમાં સફળતાની હવાઈયાત્રા માટે વિચારોના અને ચિંતનના વિવિધ એરોબ્રિજ આપ્યા છે. એમની વાતોમાં ઉપદેશ પણ મિત્રભાવે આવતો હોવાથી એ ભારરૂપ લાગતો નથી. વળી એમનું ચિંતન અનુભવમાંથી પ્રગટેલું હોય છે એટલે એમાં અવાસ્તવિકતા નથી હોતી. 
નાનકડાં પ્રેરક દ્રષ્ટાંતો અને તાજગીસભર શૈલી એમના ચિંતનને આસ્વાધ બનાવે છે. એ કારણે જ, 'ગુજરાત સમાચાર' જેવા અખબારમાં વર્ષોથી એમની કોલમ દ્વારા એમની કલમપ્રસાદી માણતા વાચકો થાકતા કે કંટાળતા નથી.
                  આ પુસ્તક આબાલવૃદ્ધ સૌ માટે છે, સંસારીઓ માટે પણ છે અને વૈરાગીઓ માટે પણ છે. તમે ગમે તે ઉંમર, જાતિ કે ધર્મના હશો તોપણ આ પુસ્તકમાંથી તમને ગમે એવું ઘણું બધું મળશે જ. એટલે આ એરોબિજનો ઉપયોગ કરીને સફળતાની હવાઈયાત્રા શરૂ કરી દો.


There have been no reviews