Koteshwar Nu Ban


Koteshwar Nu Ban

Rs 1000.00


Product Code: 19172
Author: Devshankar Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789302197161

Quantity

we ship worldwide including United States

Koteshwar Nu Ban by Devshankar Mehta | Gujarati Historical book.

કોટેશ્વર નું બાણ - લેખક : દેવશંકર મહેતા 

                    જયચંદ રાઠોડ જન્મ્યો ના હોત તો હિંદુપદ પાદશાહીનો ધ્વંશ થાત નહિ ને જો પૂંજો પેદા થયો જ ના હોત તો કચ્છ પર કાળો કેર વર્તાત નહિ. રા'લખપત અતિ વિલાસના પરિણામે મૃત્યુ પામ્યો. કામીને શરમ ધરમે નડતાં નથી. વિષયાંધ રા’લખપત પોતાની ઇચ્છા આડે આવનાર હરકોઈ વ્યક્તિને ખતમ કરાવી નાખતો. એમાં પણ રા'લખપતે દીવાન દેવકરની હત્યા કરાવીને તો કચ્છનાં ભાવિ સુખ પર કવાડો ઝીંક્યો તો સમસ્ત પ્રજાનું સૌભાગ્ય છીનવ્યું'તું. દીવાન દેવકરણ સિંધુના ઉછળીને ફેલાતાં નીર નાથીને નહેરો મારફતે સારાય કચ્છમાં વહાવવાની ઉપકારક યોજના ઘડી કાઢી'તી. દીવાન દેવકરણે સિંધુની ઉપકારક યોજનાની આલેખણી પાછળ બાર વર્ષ ખરચ્યાં'તાં.
                   ઝારાના ધર્મજુદ્ધમાં વીસોજી જાડેજા વીરગતિ પામ્યા. દગો જીત્યો. કચ્છના કપાળમાં પરાજયની કાળી ટીલી ચોટી ગઈ હતી. સિંધનો સુલતાન ગુલામશાહ ક્લેરા પાટનગર ભૂજ ફરતો ઘેરો ઘાલ્યો'તો. બાળરાજવી રા'ગોડજી વતી રાજવહિવટ રાજમાતા કરતાં. સિંધી સિપેહસાલારે રાજ સમક્ષ સંધિની ત્રણ શરતો પેશ કરી. પહેલી શરત હતી પૂંજાને દીવાનગીરીની પાઘડી બંધાવવાની. બીજી શરત હતી સિંધુના પાણીનો કર ભરવાની અને ત્રીજી શરત હતી કચ્છની સહુથી સુંદર જાડેજા કુંવરીની સિંધના સુલતાન સાથે શાદી કરવાની.
                                ઝારાનું સર્વસંહારક જુદ્ધ શમ્યા પછી ધર્મજુદ્ધ શરૂ થયું હતું. પૂજાએ સુલતાનને પુરાણ પ્રસિદ્ધ ભગવાન કોટેશ્વરનું બાણની લાલચ આપી હતી. સિંધનો સુલતાન ગુલામશાહ કોટેશ્વરનું તેજસ્વી બાણ હાથ કરવાનો પાકો નિર્ધાર કરી ચૂક્યો હતો. જે એક ચમત્કારી શિવલિંગ હતું. પણ સુલતાનની પાળી મંછા પાર પડી નિહ. દાદા કોટેશ્વરના વપૂજારી ભભૂતગારની જળસમાધિ અનેક પાત્રો મહાબલિદાન ગાથા ઇતિહાસકારોએ ઝારાના સર્વસંહારક જુદ્ધ પછીની વિગતો વર્ણવી નથી. પરંતુ ‘કોટેશ્વરનું બાણ’ આ પુસ્તક બિના લોકગાથામાં સ્પષ્ટ આલેખાઈ છે. લોકકથામાં આ બાબત હુબહુબ વર્ણવાઈ છે.


There have been no reviews