Narendra Modi : Aadhunik Gujaratna Shilpi
    Narendra Modi : Aadhunik Gujaratna Shilpi by M V Kamath આ પુસ્તક વિશે મહાનુભાવોના પ્રતિભાવ: શ્રી નરેન્દ્ર મોદી રાજકારણી છે. સાધુ નથી. એમની પાસે સાધુપણાની અપેક્ષા રાખનારાઓ પોતે અસાધુ હોય, તોય પૂર્વગ્રહો છોડવા તૈયાર નથી. નરેન્દ્રભાઈની કર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા અનન્ય છે. તેઓ નિયતિના સુપુત્ર છે.-- ગુણવંત શાહ નરેન્દ્રભાઈ આપણી પાસેના એવા નેતા છે જેઓ વિશાળ દૃષ્ટિ અને ઇચ્છાશક્તિ ધરાવે છે. મક્કમ મનોબળ દ્વારા વિચારને સત્યમાં ફેરવવાની તેમને આદત છે. તેઓ અમલમાં વિશ્વાસ રાખે છે. અને અસરકારક અમલ માટે તેમને પક્ષપાત છે, જેની આજે ભારતને જરૂર છે.--મૂકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતનો અસરકારક વહીવટ કરવાની બાબતે અમે શ્રી નરેન્દ્રભાઈથી અત્યંત પ્રભાવિત છીએ.--રતન તાતા, તાતા ઈન્ડસ્ટ્રીઝ નેતા એ એવી વ્યક્તિ છે જે અનેક લોકોને આકર્ષી શકે. નરેન્દ્રભાઈ ભારતના સૌથી મોટા નેતાઓમાંના એક છે. રાજકીય દૃષ્ટિ અને નેતા તરીકે નરેન્દ્રભાઈએ અનેક સિદ્ધિઓ મેળવી છે.--અનિલ અંબાણી, એ.ડી.એ.જી.  | 





