Maram Gahera


Maram Gahera

Rs 400.00


Product Code: 7280
Author: Rajul Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States

Maram Gahera by Rajul Dave

'નવનીત સમર્પણ'માં એક આદર્શ એ રાખ્યો છે કે જે વિષયની વાત હોય તે તેના તજજ્ઞ દ્વારા થયા. જેથી તેની પ્રમાણભૂતતા જળવાઈ રહે. મરમ-ગહરાના પ્રસંગો મોટાભાગે મરમી સાધના પદ્ધતિને લગતા છે. લેખકો તમે જાણો છો એમ આપણી પાસે અનેક છે પણ આવા સચોટ પ્રસંગો અને એ પ્રસંગો દ્વારા વ્યક્ત થતો મર્મ પામી, પહોંચાડી શકે એવી વ્યક્તિ ક્યાં? રાજુભાઈએ ગોંડળનું પાણી પીધું છે. આશ્રમજીવનમાં એમણે એક દાયકો કાઢ્યો છે. ભગવતપ્રેમ એ સાધનાનું ઉચ્ચત્તમ શિખર મને લાગ્યું છે. એ શિખરના તેઓ આરોહક છે. પ્રસંગોની ઊંચાઈ એનું સ્તર રાજુભાઈના સ્તરની કઈક ઝલક જરૂર આપે છે.
પૂ.મોરારીબાપુએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં ખૂબ સુંદર વાત કરી છે. જીવનના ચાર ખુંડ એમણે પાડી આપ્યા. ગર્ભખંડ, વર્ગખંડ, કર્મખંડ અને ધર્મખંડ. ગર્ભખંડ મનને કેળવે વર્ગખંડ બુદ્ધિને વિકસિત કરે, કર્મખંડ ચિત્તવૃતીને નિર્મળ કરે અને ધર્મખંડ સાધકને અહંકારથી મુક્ત રાખે. જીવન ધન્યતાનો આ ઉપક્રમ બાપુએ ચારખંડોમાં સમાવી આપ્યો અને આ યજ્ઞકાર્યને પ્રસન્નતાની આહુતિ આપી. એ રીતે જોતાં આ ધર્મખંડની વાત છે. અહંકારથી મુક્ત થવાની વાત છે.
પ્રભુપ્રીતિમાં મસ્ત, મત્ત એવા સાધકો, ભાવકો અને મરમીઓના જીવનમાંથી ચૂંટેલા આ પ્રસંગો ભગવાન અને ભક્ત વચ્ચે ચાલી રહેલી અનંતલીલાની કઈક ઝાંખી કરાવે છે અને એ પ્રેમસાગર તરફ આપણી ગતિમાં વધારો કરે છે. સ્થૂળ દ્રષ્ટીએ જોતાં આ પ્રસંગો દુન્યવી લાગી શકે પણ મરમગ્રાહીઓ એમાંથી અલૌકિક અનુભૂતિ અને એવા અનુભવીઓના અપાર આનંદનું આચમન કરી શકે એમ છે


There have been no reviews