Lokjivan Ni Kahevat Kathao Part 1 - 2


Lokjivan Ni Kahevat Kathao Part 1 - 2

New

Rs 1199.00


Product Code: 19274
Author: Joravarsinh Jadav
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: Hard
ISBN: 9789395880763

Quantity

we ship worldwide including United States

Lokjivan Ni Kahevat Kathao Part 1 - 2 by Joravarsinh Jadav

લોકજીવન ની કહેવત કથાઓ - લેખક : જોરવારસિંહ જાદવ

કહેવત એટલે પ્રજાનો મધુકોશ અને જ્ઞાનકોશ. એવી કહેવતોમાં પ્રજાનું શાણપણ, ડહાપણ અને ગાંડપણ વ્યક્ત થતું જોવા મળે છે. જગતની બધી ભાષાઓમાં એક યા બીજા પ્રકારે કહેવતનું ખેડાણ થયેલું જોવા મળે છે.
સમાજશાસ્ત્રીઓ (Sociologists) અને નૃવંશશાસ્ત્રીઓ (Anthropologists) સ્પષ્ટ માને છે કે ભાષા વિના સંસ્કૃતિનું ખેડાણ શક્ય નથી. ભાષા માણસને ઘડે છે. અને માણસ ભાષાને ઘડે છે.
વિખ્યાત સમાજશાસ્ત્રી બી. માલિનૉલ્સ્કી કહે છે : No language, no culture એટલે કે ભાષા નહીં તો સંસ્કૃતિ નહીં. મનુષ્યના સંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં કહેવતો અગત્યનો ભાગ ભજવે છે. એક અર્થમાં તે મનુષ્યજીવનનું ચાલકબળ છે. કહેવતોમાં પ્રજાનાં સૂઝસમજ અને કોઠાસૂઝ પડેલાં હોવાથી સમાજજીવનના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવામાં તે મદદરૂપ થાય છે.

આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે કહેવતો તો ભૂતકાળની બાબત છે અને તે ‘ડોશીમાઓની વાણી' છે, પરંતુ મારા નમ્ર મત પ્રમાણે કહેવતો એ કોઈ ભૂતકાળની કે ઇતિહાસની બાબત નથી. પરંતુ તેનો સંબંધ મનુષ્યના જિવાતા જીવન સાથે છે. કહેવતોની વિશેષતા એ છે કે તેની લોકજીવન અને બોલી ઉપર ઊંડી અસર પડે છે. દુનિયાની બધી પ્રજા માટે તે હરતીફરતી યુનિવર્સિટી જેવી છે. લોકકલામર્મી, હામી અને સંવર્ધક શ્રી જોરાવરસિંહ જાદવે આ પુસ્તકમાં ત્રેપન કહેવતો અને તેની પાછળ રહેલી કથાઓ આપીને ગુજરાતી સાહિત્યની જ નહીં પરંતુ ભારતીય સાહિત્યની અણમોલ સેવા કરી છે. તેઓ સાચા અર્થમાં લોકસાહિત્યવિદ્ લોકકલારસિક અને પરીખ છે. 


There have been no reviews