Joravarsinh Jadavni Shreshth Lok Kathao


Joravarsinh Jadavni Shreshth Lok Kathao

Rs 600.00


Product Code: 18608
Author: Hasu Yagnik
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 250
Binding: Soft
ISBN: 9789351628880

Quantity

we ship worldwide including United States

Joravarsinh Jadavni Shreshth Lok Kathao by Hasu Yagnik. | Best Gujarati folk tales. | Best Gujarati stories. | Best Gujarati Varta

જોરાવરસિંહ જાધવની શ્રેષ્ઠ લોક કથાઓ - લેખક : હસું યાજ્ઞિક 

              શ્રી જોરાવરસિંહ જાદવ લબ્ધપ્રતિષ્ઠ અને દૃષ્ટિસંપન્ન લોકવિદ્યાવિદ્ છે. આ ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકકથા એ ત્રણે અંગોમાં છે. તળપદા ગ્રામજીવનની પ્રત્યક્ષ અનુભવ, લોકજીવનની પરંપરાઓ વિશેની પાકી સમજ સાથેની ઊંડી પ્રીતિ, લોકકલા અને તેના કલાકારો માટેની સક્રિયતા, સંસ્કૃતિનો અભ્યાસ, લોકકથાની કથનકલાને આત્મસાત કરીને તેને લેખનમાં ઉતારવાની શક્તિ : આવાં કારણો થકી તેમને લોકવિદ્યાનાં કાર્યોમાં સિદ્ધિ મળી છે. એમના વિવિધ સંગ્રહોમાં ગ્રન્થસ્થ થયેલી અને કેટલીક સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી પરંતુ હજુ સુધી ગ્રન્થસ્થ નહીં થયેલી કથાઓમાંથી - અહીં ૩૦ લોકકથાઓ સંપાદિત કરીને આપી છે. 
                   શ્રી જોરાવરસિંહના લેખનમાં પાત્રોને પ્રત્યક્ષ કરવાની શક્તિ છે. તેમાં ભાષાશૈલીનો સાથ પણ અનિવાર્ય છે. કોઈ પણ પ્રદેશની કોઈ પણ કથા માટે લેખકને પોતાને પરિચિત કે આત્મસાત હોય તે તળપદી લોકબાની સાર્થક નથી બનતી. જોરાવરસિંહ આ માટે જાગ્રત રહ્યા અને નિષ્કલંક પણ રહ્યા એનું કારણ એ છે કે એમણે વાંચી કે સાંભળી અને ગમી એને લોકકથાના પરિવેશમાં રજૂ કરવાનું પ્રલોભન ન રાખ્યું અને પોતાના પ્રદેશની જ કથાઓ આપી. લોકકથાનો એ ગુણ કે પછી એનું લક્ષણ છે તે સ્થાનિક બની રહેવાનું છે. કથા રામાયણ કે મહાભારતની હોય, બીજા કોઈ બોલીપ્રદેશમાંથી આયાત થઈ હોય એ કથા જ્યારે લોકકથા બનીને પ્રવાહમાં આવે છે એના પ્રદેશનાં જ પાત્રો, પ્રદેશો, પહાડો, નદીઓ, ગામ, નગરો ઉમેરાય છે. અહીં એ રીતે જ ધોળકા, ધંધુકા, રાણપુર, લીંબડી વગેરે ભાલ-ગોહિલવાડ-ઝાલાવાડનો સંલગ્ન પ્રદેશ એક વાર્તાસંલગ્ન પરિવેશ બન્યો છે, શૈલીની એકવિધતા કે નિશ્ચિત પરિપાટીના એકધારાપણા અને કૃતકતાથી જોરાવરસિંહ મુક્ત રહી શક્યા છે. એથી સહજતાથી આવું સિદ્ધ થાય છે.


There have been no reviews