Dariya Ne Khole Part 1 - 2 - 3


Dariya Ne Khole Part 1 - 2 - 3

Rs 2400.00


Product Code: 19171
Author: Devshankar Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Hard
ISBN: 9789392197154

Quantity

we ship worldwide including United States

Dariya Ne Khole Part 1 - 2 - 3 by Devshankar Mehta  | Gujarati Historical story book on Okha.

દરિયા ને ખોળે ભાગ 1 - 2 - 3 લેખક : દેવશંકર મહેતા

       ઈ.સ.૧૮૫૭ સ્વાતંત્ર્ય યજ્ઞમાં અનેક નામી-અનામી વીર-વીરાંગનાઓ હોમાઈ ગયાં છે એમાંયે ઓખાનો સ્વાતંત્ર્ય જંગ અનોખો હતો. વાઘેર- વાઘેરાણીઓનો રણરંગ અલૌકિક હતો. ઓખાનો સાચો ઇતિહાસ તો વાઘેરાણીઓનાં ગળામાં સચવાયો છે. લેખકે ‘દરિયાને ખોળે' મહાનવલકથામાં તેમની મતિબુદ્ધિ અનુસાર ઓખાનો તેમજ વાઘેરોનો ઇતિહાસ આલેખ્યો છે.

                      લોકકથાઓ કહે છે કે વાઘેરો ક્યારેય પરતંત્ર નહોતા બન્યા. ધરતીના પટ પર ક્યાંય જોવા જડે નહિ એવું પ્રજારાજ ઓખામાં આદિકાળથી ચાલતું હતું. રાજા રણછોડરાય વાઘેરોના મોવડી માણેકો રણછોડરાયના રાજના વડા ચોકિયાત માનતા. સિંહાસન પર રણછોડરાયની મૂર્તિ પધરાવીને માણેકી દેવના નામે રાજ ચલાવતા. વાઘેરાણી પણ વાંકમાં આવેલા ઓખાના ભાવિ રાજા મૂળુ માણેકના ગાલ ઘુમરડી શકતી. સામાન્ય વાઘેર પણ જોધા માણેકને બેધડક સાચાં વેણ કહી શકતો. જોધો માણેક વૃદ્ધ વાઘેરની અદબ કરતો. ઓખામંડળમાં ચાનું પારાજ અંગ્રેજોને કણાં પેઠે ખટકતું હતું.
               શ્રી વિશ્વનાથનો દર્શન કરીને પાછો વળેલો જાત્રાળુ જ્યાં સુધી દ્વારકાનાથને ગંગાજળ ચડાવે નહિ ત્યાં સુધી જાત્રા અધુરી મનાય છે એટલે દર વરસે લાખો ભાવિક જાત્રાળુઓ રણછોડરાયનાં દર્શન કરવા દ્વારકાની જાત્રાને આવતા'તા, ખાનું પ્રજારાજ જોઈને વખાણ કરતાં થાકતાં નહોતા. અંગ્રેજોને બીક હતી ધર્મપ્રિય હિંદીઓ બળવો કરશે. વીર વાઘેરોએ સાત-સાત વખત અંગ્રેજ લશ્કરને પાછું વાળ્યું તું. પરંતુ દગાખોર ફિરંગીઓ કપરા સમયે ફરી બેઠા. કિન્નાખોર ચીનાઓએ દગો દીધો. પરિણામે જવાંમર્દ ભોળા વાઘેરો ખતમ થયાં ને લોકકવિને તો મીની ભોમકા જોઈને આંસુભરી આંખે ગાયું કે,

નારી નિત રંડાય, નર કો દિ' રંડાય ના; ઓખો રંડાયો આજ, મરતાં માણેક મૂળવો.

 


There have been no reviews