Aham Brahmasmi


Aham Brahmasmi

Rs 500.00


Product Code: 18633
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 214
Binding: Soft
ISBN: 9788195246823

Quantity

we ship worldwide including United States

Aham Brahmasmi by Nimitt Oza. | A story reviving the ancient Hindu ideology. |  Gujarati Novel book by Nimitt Oza.

અહમ બ્રહ્માસ્મિ - લેખક : નિમિત ઓઝા

પ્રાચીન હિંદુ વિચારધારાને સજીવન કરતી કથા.

આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. ફક્ત સાક્ષી છે. એ ન તો મંદિરમાં છે, ન તો મસ્જિદમાં. ન તો ચર્ચમાં છે, ન તો ગુરુદ્વારામાં. એ કોઈ અજાણ્યા સ્થળ પર બેઠે બેઠે આપણને બધાને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે. બીજી એક વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. એ કોઈ અજાણી કે અદશ્ય જગ્યા પર નથી વસતો. આ, બ્રહ્માંડનો સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર જ વસે છે. એણે બનાવેલાં દરેક જીવોમાં વસે છે. 
                       જે ઈશ્વર મારામાં છે, એ જ ઈશ્વર તમારામાં પણ છે. એ નદીઓ, પર્વતો, વાદળો, ચાંદ-સૂરજ અને સિતારામાં છે. એ પક્ષીઓમાં છે, વૃક્ષોમાં છે. રસ્તા પરથી પસાર થતા દરેક મનુષ્યમાં પણ એ જ ઈશ્વર છે, જે મારી ને તમારી અંદર છે, સજીવ હોય કે નિર્જીવ પણ આ જગતની તમામ વસ્તુઓમાં એક અને માત્ર એક જ જણ વસવાટ કરે છે, અને એ છે આ જગતનો રચયિતા. આપણો સર્જનહાર. દ્વૈતવાદ કે ફોલ્સ ડબ્રુઆલિટી નું ખંડન કરતી આ કથા,આપણને આ સૃષ્ટિના સર્જક સાથે મુલાકાત કરાવે છે. આ બ્રહ્માંડનો એકમાત્ર રચયિતા એટલે.


There have been no reviews