લોકસાહિત્યને ઍક વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીયે; ગીતો, વાતો, તુચકા, ઉખાણાં, વ્રતદિને
ઍના ડાળી, પાંદડાં, પુષ્પો ને વીટપો કહિઍ, તો જ આ ભજનોને ઍના આખરી ફળોરૂપી સમજી
શકાય. લોકવાણી નો અંતિમ પરિપાક આ ભજનવાણી જો આખરી આત્મિક રહસ્ય-મંથનની ભજન-શાખોને ન
રસાવત તો ઍ અધૂરી, આછોતરી, કેવળ સપાટીનેજ સ્પર્શીને અટકતી ગણાત અને જ્ઞાન, અધ્યાત્મ,
આતમત્વ, ઍને જો વેદો, ઉપનિષદો તેમજ ભાગવત ઇત્યદિ માંથી દોહિને આ લોકવાણી જો
જનસામાન્યને સ્પર્શે તેવા તાલ-સંગીતની કટોરીમાં ન ઉતરત તો ઍક પ્રથમ કોટિની કરુણતા
નીપજી હોત.