Home Blog CDs/DVDs Order Tracking Shipping Terms

Bookmark and Share

Search: Advanced Search
Try New Quick Product Finder
 
Categories
Children CD ROM
CD/DVD
>> Magazines
>> Best Sellers books
>> New Arrival
>> Calender & Panchang
>> Special Offer
>> Softwares

-- BOOKS CATEGORY --

Adhyatmik
Agriculture
Ajayab Duniya
Amar Chitrakatha
Ambedkar Kathao
Animal Grown
Articles
Astrology
Autobiography
Ayurved
Baby Names
Beauty - Care
Bhajan
Biography
Business Guidance
Cartoon
Child Craft
Child Development
Child Poem
Child Psychology
Child Songs
Child Stories
Computer
Cookery
Critical Notes
Cross Word
Dictionary
Drama
Educational
English Learning
Environment
Essay
Folk Songs
Games
Gardening
General Knowledge
Gazal
Ghochar Aghochar
Grammar
Guidelines
Gujarati Grammar
Health
Herbal
Historical
Humorous Stories
Inspiration
Interview
Jeevan Charitro
Jokes
Journalism
Language Learning
Learn English
Learn Your Self
Learning Gujarati
Legal
Letters
Lok Sahitya
Management
Mantra Tantra
Marketing
Marriage Songs
Maths
Memories
Miscellaneous
Mother
Music
Navlika
Novel
Nursary Rahyam
Osho
Pain Portrait
Panchayat
Parenthood
Pen Portraits
Personality
Philosophical
Philosophy
Poem
Politics
Prayers
Pregnency
Public Speaking
Quiz
Quotation
Reflective
Reki
Religious
Science
Self Development
Self Improvement
Sex Education
Share Bazar
Shayari
Short Stories
Sketches
Social Novel
Songs
Speeches
Spiritual
Sports
Stories
Technical Education
Terrorism
Transalated books
Transalated Novel
Travelogue
Vastushastra
Vivechan
Wild Life
Women Related
Yoga


Authors
A G Krishnamurti
A K Lalani
A P J Abdul Kalam
A Rajendra
Aabas Gulab
Aabid Surti
Aabuwala Shekhadam
Aadhayatmanand Swami
Aalap Shah
Aankadiyakar Shanti

Other Authors...

GujaratiBooks.com :: Spiritual :: Krushnam Sharanam Gachchami

Krushnam Sharanam Gachchami
Krushnam Sharanam Gachchami 
 

માધવ ક્ષણે ક્ષણે મધુવનમાં - સંપાદક ડો.મનીષા મનીષ.

ઓશોએ ‘કૃષ્ણ સ્મૃતિ’ નામનાં દળદાર પુસ્તકમાં કહ્યું છેઃ ‘જીવનમાં કશાયથી ભાગવાનું નથી અને જીવનમાં કશાયને છોડવાનું નથી. જીવનનો પૂર્ણ સ્વીકાર કરીને જીવવાનું છે. આ જાગૃતિની સાથે ક્રમશઃ  ભવિષ્યમાં કૃષ્ણની સાર્થકતા વધતી જવાની. વર્તમાન આપણને સતત એ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે જેમાં કૃષ્ણની છબી વધુને વધુ નિખરતી જશે.’

... અને એટલે જ કૃષ્ણ સાથે આજનો યુવાન શક્ય તેટલી વધારે નિકટતા કેળવે તે ઈચ્છનીય છે. ડો. મનીષા મનીષે સંપાદિત કરેલાં ગુણવંત શાહનાં પુસ્તક ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’નો આ જ એટિટ્યુડ છે. ગુણવંત શાહ રચિત ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘સંભવામિ યુગયુગે’ જેવાં પુસ્તકો ઓલરેડી ખૂબ વખણાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત પુસ્તકને તમે આ  શૃંખલાની એનર્જેટિક કડી કહી શકો. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લાં ૨૦ - ૩૦ વર્ષોમાં લખાયેલા કૃષ્ણલેખો છે, બીજા હિસ્સામાં સંપાદિકા સાથે થયેલી સંવર્ધિત પ્રશ્નોત્તરી છે અને અંતિમ ભાગમાં પદ્યમય ગદ્યખંડો છે.

લેખક કહે છે, ‘જેમ જેમ માણસ યંત્રવત થતો જાય છે, તેમ તેમ એની જાત સાથેની મૈત્રી ઘટતી જાય છે. સહજ હોવું એટલે કૃષ્ણની સમીપે હોવું. કૃષ્ણની સમીપે હોઈએ ત્યારે દોષ ટકી જ ન શકે. સહજ હોવું એટલે માંહ્યલાના કહ્યામાં હોવું.’

આજના જમાનાના મહારોગ એવા ડિપ્રેશનનું એક મોટું કારણ માણસ માંહ્યલાના કહ્યામાં રહી શકતો નથી,  એ હશે? ગુણવંત શાહ કહે છે, ‘ડિપ્રેશન આખરે શું છે? એ સ્વ-ધર્મ ભૂલેલા, સ્વ-રૂપનું ભાન ગુમાવી બેઠેલા અને સ્વ-ભાવથી ભિન્ન એવા વ્યવહારભાવને ધારણ કરનારા નગરમાનવનો વિષાદ છે અને એ વિષાદનું કુળ અને મૂળ ‘અર્જુનવિષાદયોગ’ છે... ડિપ્રેશનને વેડફી મારવામાં ડહાપણ નથી. વિસ્મયની માફક જ વિષાદ પણ તત્ત્વજ્ઞાનની જન્મભૂમિ બની શકે છે.’

લેખક  તો ત્યાં સુધી કહે છે કે હૃદય લગભગ વલોણું બની જાય એવો ઘેરો વિષાદ જીવનમાં પ્રત્યેક માનવીને મળવો જ જોઈએ. તેઓ ઉમેરે છેઃ ‘લાગણીઓનું ઘમ્મર વલોણું પણ એક આધ્યાત્મિક ઘટના છે. જીવનગીતા કદી વિષાદયોગ વગર જામતી નથી. વિષાદ માટે પ્રયત્ન કરવો પડતો નથી. જીવનમાં ગમે ત્યારે ત્રણ દુર્ઘટનાઓ ગમે તે દિશામાંથી આવી પડે છેઃ (૧) સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ, (૨) અત્યંત પ્રિય પાત્ર તરફથી થયેલી દગાબાજી, (૩) કોઈ ભયંકર રોગ ઓચિંતો પેધો પડે.’


કૃષ્ણ શબ્દ ‘કૃષ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘કૃષ્’ એટલે વશ કરવું, જીતી લેવું, આકર્ષવું. જે સૌને આકર્ષે છે તે કૃષ્ણ છે. એક જગ્યાએ ગુણવંત શાહ કહે છે, ‘ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ મળીને જીવનયોગનું જે સૌંદર્ય પ્રગટ થાય, તેમાં કૃષ્ણની મૌલિક જીવનમીમાંસાનો સાર આવી જાય છે. કૃષ્ણની ખૂબીને સમજવા માટે આજની મેનેજમેન્ટની પરિભાષામાં પ્રયોજાતો ‘સીનર્જી’ શબ્દ બરાબર સમજી લેવો પડશે. સાદી ભાષામાં સીનર્જી એટલે બે વત્તા બે બરાબર પાંચ. આવો જાદુ શી રીતે શક્ય બને? જવાબ છેઃ ‘સીનર્જી’. જ્ઞાન, કર્મ અને ભક્તિ વચ્ચે પણ સિનર્જેટિક રિલેશનશિપ રહેલી છે.’

ભક્તિની બે રૂપાળી વ્યાખ્યાઓ આ પુસ્તકમાંથી જડી આવે છે  ‘પરિણામનો સહજ સ્વીકાર એ જ ભક્તિ’ અને  ‘ભક્તિ એટલે ઈમોશનલ ઈન્ટેલિજન્સ’!  કૃષ્ણને ગુણવંત શાહ ‘વિશ્વના આદ્ય મેનેજમેન્ટ ગુરુ’નું બિરુદ આપે છે. સંપાદિકા ડો. મનીષા મનીષ તેમનાં પુત્રી થાય. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારી અને ભાઈની વચ્ચે એક કોમન લિન્ક છે  ફિલોસોફી. (પપ્પાને હું ‘ભાઈ’ કહીને સંબોધું છું.) એકવાર મારે પિયર ગઈ હતી ત્યારે મારા હાથમાં બાએ કાળજીપૂર્વક સાચવી રાખેલી ફાઈલો આવી, જેમાં ભાઈના જૂના લેખોનાં કટિંગ્સ હતાં.  શરૂઆતમાં તો હું તેને સ્કેન કરીને ઈફોર્મ આપવા માગતી હતી, પણ જેમ જેમ લખાણ વાંચતી ગઈ અને મારી રીતે નોંધ કરતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યું કે આમાંથી કૃષ્ણ વિશેનું હજુય વધુ એક પુસ્તક સર્જાઈ શકે તેમ છે.  મનમાં નવા સવાલો પણ જાગી રહ્યા હતા. હિંચકામંથન કરતાં કરતાં હું ભાઈને કૃષ્ણ વિશે સવાલો પૂછતી જાઉં અને તેઓ મને ઉત્તર આપતા જાય.’

સંપાદિકા લેખકને પૂછી શકે છે કે વિયોગિની રાધા સાથે દગો થયો એમ નથી લાગતું? અથવા તો, ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ એવો અર્જુન જો કૃષ્ણનો સખા હતો તો એ કૃષ્ણને શરણે કેમ ગયો? શું એક મિત્ર બીજા મિત્રને શરણે જાય ખરો?  કે પછી, ક્રિકેટક્ષેત્ર અને કુરુક્ષેત્ર વચ્ચે શો સંબંધ?


ખરેખર તો સંપાદિકા લોજિક અને રિઝનિંગથી જ રિઝાઈ શકતી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એમની પ્રશ્નોત્તરીવાળો વિભાગ પુસ્તકનો સૌથી જીવંત હિસ્સો બની શક્યો છે.  બાકી આજનો યુવાન ભગવદ્ગીતા શા માટે વાંચે એવા સવાલનો લેખકને એક જ જવાબ જડે છે અને તે એ કે, ‘પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ જો ગીતામાંથી મળી શકે તો જ તેઓ એને વાંચવા વારંવાર તૈયાર થાય. મને તો લાગે છે કે આ જ કારણસર, માત્ર આ જ કારણસર હું આ ગ્રંથ વાંચવાની તસ્દી લઉં છું. આપણે કૃષ્ણને રાજી કરવા માટે ગીતાનો અભ્યાસ નથી કરવાનો, પણ આપણા જીવનમાં પ્રસન્નતા પાંગરતી રહે તે માટે કરવાનો છે.’


આ પુસ્તકનું એકેએક પાનું, એકેએક ફકરો ક્વોટેબલ ક્વોટ્સથી માલામાલ છે. તેમાંથી શું ટાંકવું ને કેટલું ટાંકવું! ગુણવંત શાહના મૌલિક ચિંતનમાં પારદર્શિતા છે અને અભિવ્યક્તિમાં હળવાશ છે. મંચ પર બિરાજમાન થઈને ઉપદેશ ફટકારતા ભારેખમ મનુષ્યપ્રાણીની મુદ્રાથી તેઓ જોજનો દૂર રહે છે. તેમની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે.

જહેમતપૂર્વક તૈયાર થયેલી કૃષ્ણ-વકતવ્યોની સીડી સાથેનું ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’ પુસ્તક જેટલું સમૃદ્ધ છે એટલું જ સ્માર્ટ  છે અને ગીતા સુધી પહોંચવાના માર્ગ પર મજબૂત હમસફર પૂૂરવાર થાય એવું છે. કૃષ્ણના ભક્તો જ નહીં બલકે કૃષ્ણ વિશે ઉત્સુકતા ધરાવતા તમામ વયના ભાવકો માટે તે ઉત્તમ વાંચન બની રહે છે.

 

Details
 
Product Code 10854
Price: INR 1197.00 (US$ 28.61)

Options
 
Quantity

Add to cart
        
Add to wish list


 
Authors
Gunvant Shah ( 70 books)


See All books by Gunvant Shah

Other Best Seller Gujarati books by author Gunvant Shah

Nirakh Ne Gagan Ma
Nirakh Ne Gagan Ma
Nirakh Ne Gagan Ma by Gunvant Shah
Krushna Nu Jivansangit
Krushna Nu Jivansangit
Krushna Nu Jivansangit by Gunvant Shah
Vagdane Taras Tahukani
Vagdane Taras Tahukani
Vagdane Taras Tahukani by Gunvant Shah
Zakalbhina Paarijat
Zakalbhina Paarijat
Zakalbhina Paarijat by Gunvant Shah
Silence Zone
Silence Zone
Silence Zone by Gunvant Shah
 

Recommended products list
Adhyatmavidya
Adhyatmavidya
Jivan Ni Mavjat
Jivan Ni Mavjat
Krishna Mari Dhrashtie
Krishna Mari Dhrashtie
Mahamanav Shri Krishna
Mahamanav Shri Krishna
Panchbhoot
Panchbhoot
Ramayan : Manavtanu Mahakavya
Ramayan : Manavtanu Mahakavya
Ramkatha Rahasya
Ramkatha Rahasya
Shravaman Shivajismaran
Shravaman Shivajismaran
Shrimad Lokbhagvat
Shrimad Lokbhagvat
 

Your cart
Cart is empty
 

View cart | Checkout

Wish list
Orders history
Bonuses

Customer Login
Username

Password


Remember Me
Log in 
Register 
Recover password


Best Sellers
Will Yani Vasiyatnamu Kevi Rite Banavsho?
Will Yani Vasiyatnamu Kevi Rite Banavsho?
See details
Price: INR 720.00
(US$ 17.21)

Premno Asav
Premno Asav
See details
Price: INR 150.00
(US$ 3.58)

Akhand Anand - Gujarati Magazine
Akhand Anand - Gujarati Magazine
See details
Price: INR 3590.00
(US$ 85.80)

Miya Fuski (1 To 10)
Miya Fuski (1 To 10)
See details
Price: INR 1500.00
(US$ 35.85)

Safal Vyakti Visheshoni Siddhino X-ray
Safal Vyakti Visheshoni Siddhino X-ray
See details
Price: INR 225.00
(US$ 5.38)


Special
Gift certificates
Special offers




My Account

 

Need Help?

 

Partners & Affiliates

 

Contact Us