દરેક ધર્મકાર્યમાં "શા માટે?" એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે.....
ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.
શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ.
ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.
આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.
શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખક
પુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.
જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. "શ્રી બકુલ રાવલ"
ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.
દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટ
આપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.
ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.
જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.
અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.