Articles by A P J Abdul Kalam which is translated by Haresh Dholakia published in 2006
“WINGS OF FIRE”એ ર્ડો.અબ્દુમલ કલામનું પોતે લખેલી આત્મકથા છે જેને ગુજરાતી માં અગનપંખ તરીકે ઓળખવામાં આવે છે.પોતાની આત્મકથા “અગનપંખ”માં ર્ડો.કલામ વૈજ્ઞાનીક અને વ્યકિત તરીકે તેમનું ઘડતર કરનારા વૈવિધ્ય પૂર્ણ અનુભવોને સંક્ષ્િાનપ્તમાં રજૂ કરે છે.ભારતના પૂર્વ રાષ્ટ્ર પતિ અને મહાન વૈજ્ઞાનિક ર્ડો.કલામ લિખીત “WINGS OF FIRE” પુસ્તકનો વિચારસાર પુસ્તક પરિચય.
ર્ડા.અવુલ પાકિર જૈનુલબદ્દીન અબ્દુલ કલામ એક એવી મહાન હસ્તી છે જેમણે પોતાનું નામ કાયમ કરતી વખતે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે.આ ધરતી પર પોતાની ગઇ કાલ,આજ અને આવતીકાલની રચના કરનાર કેટલાંક માનવરત્નો પેદા થયાં છે.તેમાંનો એક છે ચેન્નાઇના રામેશ્વરમ્ જિલ્લાના ધનુષકોડીના એક મધ્યમવર્ગ તમિળ કુટુંબમાં ૧પ ઓકટોબર, ૧૯૩૧ના રોજ જન્મેલા ર્ડો.કલામ જેમણે પોતાના સ્વરૂપમાં આ જગતને એક અનોખી હસ્તીનું પદાર્પણ કર્યુ.
તેમના પિતા જૈનલબદ્દીન મારકય્યર અને માતા આશિયમ્માએ તેમનું નામ અબુલ પાકિર જૈનુબબદ્દીન અબ્દુલ રાખ્યું, જેમને આજે આપણે બધા ર્ડો .કલામના નામથી ઓળખીએ છીએ.
રાજસ્થાનના પોખરણ વિસ્તાયરમાં ર્ડો.કલામે પોતાની ક્ષમતા પર ભારતને યુધ્ધનિતી વિજ્ઞાનમાં નવા શિખરો સર કર્યા. પોખરણના અણુધડાકાના અનુભવને યાદ કરતાં ર્ડો.કલામ જણાવે છે કે “અમારા પગ તળેની જમીન ખરાબ રીતે આમતેમ હાલી રહી હતી. ”
તેમના પિતા બહુ ઝાઝુ ભણ્યા નહોતા અને આર્થિક સ્થિતિ પણ કંઇ એટલી સારી નહોતી, પરંતુ તેમની માતા આશિયમ્માએ ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા બુધ્ધિશાળી, દયાળુ સ્વભાવના તથા ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. કુટુંબમાં ર્ડો.કલામ સૌથી નાની ઉંમરના હોવાના કારણે તેમનો ઉછેર લાડ-પ્યારમાં થયો હતો.પડોશીઓના કહેવા પ્રમાણે નાનપણથી જ અબ્દુલ અંતર્મુખી વ્યકિતત્વ ધરાવતા હતા. અભ્યાસમાં રુચિ ધરાવતા હતા. અભ્યાસમાં વધારે રુચિ ધરાવનાર કિશોરોમાંના એક હતાં. જે ઘરમાં તેમનો ઉછેર થયો ત્યાં પુસ્તકોનું પ્રમાણ ઓછું હતુ. તેમના પડોશી શ્રી એસ.ટી.આર.માનિકમ્મે યુવાન અબ્દુલની પુસ્તકભૂખને સંતોષી. શ્રી માનિકમ્મની પોતાની એક સમૃધ્ધ લાયબ્રેરી હતી જયાં યુવાન અબ્દુલ કલાકો સુધી બેસી પુસ્તોકો વાંચતા. તે હમેશાં પોતાની માતા સાથે જમીન પર બેસીને જ ભોજન લેતાં. શરૂઆતમાં આર્થિક મુશ્કેલીના કારણે તેમને શાકાહારી રહેવાનો નિર્ણય કર્યો જે પછીથી તેમની કાયમી આદત બની ગઇ. પ્રામાણિકતા અને સ્વ અનુશાસનના ગુણો તેમને તેમના પિતાજી પાસેથી મળ્યા, જયારે માનવીની ભલાઇમાં વિશ્વાસ, દયા, કરુણા જેવા ગુણોની શિક્ષા તેમની માતા પાસેથી પ્રાપ્ત થઇ. ર્ડો.કલામે તેમનું પ્રાથમિક શિક્ષણ સ્મિયારમાં મેળવ્યુ જયારે રામેશ્વરની સ્વાર્ટઝ હાઇસ્કુલમાં આગળનું ભણતર ચાલુ રાખ્યું. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ તેમણે ત્રિચિમી સેન્ટ જોસેફ કોલેજમાં મેળવ્યું. ત્યાર બાદ મદ્રાસ ઇન્સિટયુટ ઓય ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા માં પ્રવેશ મેળવ્યો. ૧૯પ૮માં ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનિઝેશનમાં તેમની નિમણૂંક થઇ. હોવરક્રાફટ એ તેમનો પહેલો પ્રોજેકટ હતો.૧૯૬રમાં તેમણે ડી.આર.ડી.ઓ. સંસ્થા છોડી દીધી અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચમાં જોડાયા. ૧૯૮૦ના જુલાઇ મહિનામાં તિરૂવનંતપુરમથી જયારે ભારતીય ઉપગ્રહ રોહિણી ને અવકાશમાં છોડવામાં આવ્યો ત્યારે ર્ડો.કલામ એસ.એલ.વી-૩ પ્રોજેકટના સંચાલક હતા. પ્રોફેસર વિક્રમ સારાભાઇએ ર્ડો.કલામને ખૂબ પ્રોત્સાહન અને પીઠબળ પૂરાં પાડયાં. હૈદ્રાબાદમાં આવેલી ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરીમાં ડિરેકટર તરીકે જોડાયા અને દેશના મિસાઇલ સુધારણા તથા તેમાં ગુણવત્તાની દ્દષ્્ટિરએ વધારો કરવાના કાર્યક્રમને સંભાળી લેવાનું બીડું તેમણે ઝડપી લીધુ. યુધ્ધ સંબંધી સંશોધન કાર્યક્રમ તરીકે તેમના મિસાઇલ કાર્યક્રમને સૌથી વધુ સફળતા પ્રાપ્ત થઇ છે. મિસાઇલો બનાવવાનું આ એક મહા અભિયાન હતું. આ ભગીરથ કામગીરીમાં ર્ડો.કલામે ૧ર યુનિવર્સીટી, ૩૦ સંરક્ષણ ખાતાની પ્રયોગશાળાઓ, સી.એસ.આર.આઇ.એસ.આર. તથા ડઝનેક સરકારી અને બિનસરકારી સંસ્થાઓની મદદ લીધી હતી. તેમના કાર્યક્રમનું નામ હતું ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ્સ પ્રોજેકટ જેમાં જુદી જુદી પ્રહારશકિત ધરાવતા પ્રક્ષેપાસ્ત્રો વિકસાવવામાં આવ્યા હતા. બધા જ મિસાઇલો તેમના નિર્ધારિત સમયે છોડવામાં આવ્યાં હતાં.ટેકનોલોજી, ઇન્ફર્મેશન, ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના સર્વેસર્વા હોવા ઉપરાંત તે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહયા હતાં. તેમની ઇચ્છાથી કેબિનેટ મિનિસ્ટર્સ કાઉન્સિલમાં તેમને સમાવી લેવામાં આવ્યાં હતા. સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-૩ના વિકાસમાં તેમનું ખૂબ મોટું યોગદાન રહયું છે, જેના કારણે “રોહિણી”ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવાનું શકય બન્યું. દેશના ટેકનિકલ તથા વૈજ્ઞાનિક ક્ષેત્ર સાથે જોડાયેલી દરેક બાબતમાં માર્ગદર્શન પૂરાં પાડયાં છે.